Tuesday, April 29, 2008

તાજમહેલને સજાવવાનો પ્રયત્ન

નવી દિલ્લી
તાજમેહલના સંગમરમરની બહારના પડને માટીના લેપની પદ્ધતિથી સાફ કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભામાં આજે પર્યટન અને સંસ્કૃતિ મંત્રી અંબિકા સોનીએ મૈબલ રિબેલો અને બી જે પંડાના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી.તેમણે જણાવ્યું કે, તાજમહેલને બાહ્ય ક્ષેત્રના વિકાસનું ઉત્તરદાયિત્વ સ્થાનીય પ્રાધિકરણોનું છે. સ્મારકના પહુંચ માર્ગના સુધાર માટે આઈટીડીસીએ તાજમહેલની આસપાસના ક્ષેત્રના નવીકરણ તથા પર્યટક પ્રબંધન માટે એક પરિયોજના શરૂ કરી છે જેનું કાર્યાન્વયન કેન્દ્રિય લોક નિર્માણ વિભાગ દ્રારા કરવામાં આવશે.સોનીએ જણાવ્યું કે, સૂર્ય મંદિર કોર્ણાક વિશ્વ વારસા સ્થળ તથા પુરી અને ભૂવનેશ્વરના પ્રમુખ સ્મારકો સહિત ઓરિસ્સામાં સ્મારકોના સંરક્ષણ પર ગત નાણાકિય વર્ષ 2007-08 માં કરવામાં આવેલો કુલ ખર્ચ 278.29 લાખ રૂપિયા છે.

No comments: